-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 31st August 2020
નર્મદા જિલ્લામાં ૦૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૧૪ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૬૩ પોહોચ્યો
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં સોમવારે નવા ૦૫ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૫ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદ ના ધારીખેડા ૦૨ , સિસોદ્રા ૦૨ અને ગરુડેશ્વર ના નવાગામ ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૫ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૬ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૧૪ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૮૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૬૩ પર પહોચ્યો છે.આજે વધુ ૩૭૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(7:30 pm IST)