Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પોરબંદર જિલ્લામાં ર વ્યકિતઓને કોરોના ભરખી ગયોઃ નવા ૩ પોઝીટીવ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩: જિલ્લા કોરોનાની સારવાર લઇ રહેલ ર વ્યકિતના મોત નીપજયાં હતાં જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ પ૮ વ્યકિતઓના મોત નીપજયાં છે.

કોરોનાના નવા ૩ પોઝીટીવ કેસ શહેરની વ્રજ ભવન સોસાયટી કડછ તથા છાંયા વિસ્તારમાંથી આવેલ છે અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૬૦૧ પહોંચી છે. ગઇકાલે કોરોનાના શંકાસ્પદ પ૭૯ કેસના સેમ્પલ લઇને ટેસ્ટીંગ કરવામાં આવ્યાં હતા જેમાં ૩ વ્યકિતઓનો પોઝીટીવ રિપોર્ટ આવેલ તથા પ૭૬ કેસના નેગેટીવ રિપોર્ટ આવ્યા હતાં.

(11:55 am IST)