Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કેશોદ શહેરમાં એકજ દિવસમાં કોરોનાના ર૧ પોઝીટીવ કેસ નોંધાયાઃ જેમાં સૌથી વધુ પીપલીયાનગરમાં ૯ કેસ નોંધાયાઃ આરોગ્ય તંત્ર હરકતમાં

કેશોદઃ આજે કેશોદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના ર૧ પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ પીપલીયાનગરમાં ૯ કેસ નોંધાયા છે. આથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

આ અંગે વધુ વિગત જોઇએ તો કેશોદમાંકોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે કેશોદ શહેરમાં કોરોનાના ર૧ પોઝિટિવ કેસનોંધાતા તંત્રમાં દોડધામ વધી જવા પામી છે. જેમાં પીપલીયાનગરમાં ૯, આંબાવાડી વિસ્તારમાં ૪, ઘનશ્યામનગરમાં ર અને ચોવટિયા વાડી, આલાપ કોલોની, પટેલ મિલ કમ્પાઉન્ડ, ગાયત્રી મંદિર પાસે, ગાંધીનગર સોસાયટી, જાગનાથ ટાવર પાસે સહિતના વિસ્તારોમાં એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

(11:38 pm IST)