Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કેવડિયામાં ૩ કેસ સાથે નર્મદા જિલ્લામાં ૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં સોમવારે નવા ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો.લાઈન ૦૧, દોલત બજાર ૦૧ નાંદોદના ધમણાચા ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૩ અને તિલકવાળા કસુંદર ૦૧ , વજેરિયા ૦૨ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
           રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૭ દર્દીઓ દાખલ છે. આજે ૧૨ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૫૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૪૪ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:02 pm IST)