Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

દરિયાકાઠાના 17 જિલ્લાના 655 ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું

સ્થળાંતરની મોડીરાત સુધી કામગીરી : સવારે 5 વાગ્યાથી કામગીરી ફરી શરૂ

અમદાવાદ : રાજયમા પ્રવર્તી રહેલ તાઉ-તે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતરની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે 5 વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે

(10:19 am IST)