Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તાઉતે વાવાઝોડુ:5.00 કલાકની સ્થિતિ: રાજ્યના સંભવિત અસરગ્રસ્ત ૧૮ જિલ્લાઓમાંથી બેલાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા.

અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તી રહેલ ‘‘તાઉ’તે’’વાવાઝોડાની પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ઝીરો કેઝયુલીટીના સંકલ્પસાથે અસરકારક કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે રાજ્યના સંભવિત ૧૮ અસરગ્રસ્તજિલ્લાઓમાંથી બે લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે સ્થાનિકવહીવટીતંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલીમાહિતી મુજબ જે જિલ્લામાં સ્થળાંતર કરાયુ છે એમાં અમદાવાદ જિલ્લામાં ૧૮૩૯ નાગરિકો, અમરેલીમાં ૧૯,૩૬૮, આણંદમાં ૬૯૪, ભરૂચમાં ૨૮૦૫, ભાવનગરમાં ૨૮,૩૩૪, દેવભૂમિદ્વારકામાં ૧૨,૩૧૯,ગીરસોમનાથમાં ૩૨,૨૫૦, જામનગરમાં ૨૫૧૫, જૂનાગઢમાં ૨૪,૩૧૩, કચ્છમાં ૩૨,૮૦૬, રાજકોટમાં ૬૯૧૫, મોરબીમાં૨૭૬૬, નવસારીમાં ૧૧૧૪, પોરબંદરમાં ૨૫,૧૪૯, સુરતમાં ૧૩૭૨, વલસાડમાં૨૪૧૭, બોટાદમાં ૨૮૯૨ અને ખેડામાં ૫૯૦ મળી કુલ ૨,૦૦,૪૫૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

(7:06 pm IST)