Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદ મનપા સંચાલિત ગૌશાળામાં ગાયના મૃત્યુને લઇને વિપક્ષ અને ભાજપ આમને સામને

બાકરોલ ગૌશાળામાં ગાયોના માવજતના આધારે મોત થયાનો વિપક્ષનો આરોપ : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું -આજે કોઇ પણ ગાયના મોત થયા હોવાની બાબત ખોટી

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત બાકરોલ ગૌશાળામાં  ગાયોના માવજતના આધારે મોત થયા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જયારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનહિતેશ બારોટે જણાવ્યું છે કે આજે કોઇ પણ ગાયના મોત થયા હોવાની બાબત ખોટી છે. તેમજ ગૌશાળામાં માત્ર કાદવ -કીચડ છે. તેમજ આજે એક પણ ગાયનું મોત થયું નથી. જો કે ત્રણ દિવસમાં બીમારીના કારણે 6 ગાયના મોત થયા છે

(9:26 pm IST)