Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નરખડી ચોકડી પાસેનાં ભાથીજી મંદિરમા અજાણી મહિલાએ પ્રતિમા તોડી નાખતા ભક્તો ખફા

ભાથીજી મહારાજનો ફોટો પણ મંદિરમાંથી કાઢી હટાવી દેવાતા ભક્તોની લાગણી દુભાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોઇચા રોડ પર આવેલ નરખડી ચોકડી નજીક પ્રાચીન સમયનું ભાથીજી દાદાનું મંદિર આવેલું છે જે તમામ લોકો માટે આસ્થાનું કેન્દ્ર હતું ત્યાં આજરોજ કોઈ અજાણી મહિલા મોઢા પર રૂમાલ બાંધી આવી આ મંદિરમાં ઘૂસી મંદિરમાથી ભાથીજી મહારાજની સ્થાપિત મૂર્તિ ને બહાર લાવીને તોડી નાખી ભાથીજી મહારાજ નો ફોટો પણ ત્યાંથી ચોરી કરીને હટાવી દીધા બાદ હાઈવા ટ્રકમાં બેસી ચાલી ગઈ હતી. આ ઘટના નજરે જોનારના જણાવ્યા મુજબ એ મહિલા મંદિરમાં પૂજા કરવા આવી હોય એમ અંદર ગઈ અને મંદિરમાં આ કાવતરું રચી ચાલી ગઈ હોય આ બાબતે રાજપીપળા પોલીસ માં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:55 pm IST)