Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં કોરોનાનો મુકામ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કેસ નોંધાયા:વધુ 163 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,15.616 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 55.584 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1524 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 226 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 163 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.15.616 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.98 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 55.584 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.09.65.819 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 1524 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં બે દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 1522 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 226 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 106 કેસ,સુરત કોર્પોરેશનમાં 37 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 22 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, વડોદરામાં 6 કેસ, કચ્છ,મહેસાણા,રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 5-5 કેસ, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 4-4 કેસ, ગાંધીનગર અને પાટણમાં 3-3 કેસ, અમદાવાદ, ભરૂચ,અને રાજકોટમાં 2-2 કેસ,અમરેલી,આણંદ ,ખેડા,અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:45 pm IST)