Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંકટમાં નાખે છે, ઉકેલની યોજના નથી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર

નવી દિલ્હી, તા. : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મોદી સરકારને નિશાન પર લેવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર દેશને સંકટમાં તો પહોંચાડી દે છે પરંતુ સમસ્યાના સમાધાનની તેમની પાસે કોઈ યોજના હોતી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે સરકાર સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવાના બદલે ખોટી દોડમાં સામેલ થઈ જાય છે અને ખોટી રીતે પોતાની સિદ્ધિઓ ગણાવવા લાગે છે. કોરોના મહામારી અને વસ્તુ તથા સેવા કર-જીએસટીમાં પણ તેઓ કરી રહી છેકોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કહ્યુ કે મોદી સરકાર દેશને સંકટમાં પહોંચાડીને સમાધાન શોધવાના બદલે શાહમૃગ બની જાય છે. દરેક ખોટી દોડમાં દેશ આગળ છે, કોરોના સંક્રમણના આંકડા હોય કે જીડીપીમાં ઘટાડો. સાથે તેમણે એક સમાચાર પણ પોસ્ટ કર્યા જેમાં લખ્યુ છે કોરોનાની બગડતી પરિસ્થિતિ, કફન માટે લાગી રહી છે કતાર, વેચનાર બોલ્યા, જીવનમાં આવુ પહેલીવાર જોયું.

(9:01 pm IST)