Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

હરિયાણા : ખનીજ માફિયાઓનો આતંક : DSPને ડમ્‍પરથી કચડી નાખ્‍યા

નવી દિલ્‍હી તા. ૧૯ : હરિયાણામાં માઈનીંગ માફિયાઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. ગેરકાયદે ખનન રોકવા ગયેલા DSP સુરેન્‍દ્ર કુમાર તાવડુને ડમ્‍પરથી કચડી નાખ્‍યા જેના કારણે ડીએસપી સુરેન્‍દ્ર કુમારનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ડેપ્‍યુટી સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ સુરેન્‍દ્ર કુમાર તાવડુમાં તૈનાત હતા. તાવડુના ડુંગરમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી પરથી દરોડો પાડવા ગયા હતા. ડીએસપી કાર પાસે ઉભા હતા. આ દરમિયાન એક ડમ્‍પરે તેને ટક્કર મારી કચડી નાંખ્‍યા હતા. ત્‍યા ઘટના સ્‍થળ પર જ તેમનું મોત જ નિપજયુ છે. ડીએસપી સુરેન્‍દ્રસિંહનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. ડીએસપી સુરેન્‍દ્ર સિંહ આ વર્ષે નિવૃત્ત થવાના હતા.દુર્ઘટના બાદ આરોપી સ્‍થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્‍થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.જણાવી દઈએ કે ડીએસપી સુરેન્‍દ્ર સિંહ તવડુમાં તૈનાત હતા. આ મામલે કેબિનેટ મંત્રી મૂળચંદ શર્માએ કહ્યું કે આ વિસ્‍તારમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. જયાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(4:19 pm IST)