Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

દાઉદ કરાચીમાં નથી :છોટા શકીલ

નવી દિલ્હી,તા. ૨૮: એક ટીવી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં છોટા શકીલે દાઉદ કરાચીમાં રહેતો હોવાના ભારતના પ્રસાર માધ્યમોમાં પ્રસારિત કરાતા સમાચારોને રદિયો આપ્યો હતો.

ભારતનો અન્ડરવર્લ્ડ ડોન અને આતંકવાદી કેસોનો આરોપી દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં હોવાના સમાચારોને એના સાથી ગેન્ગ્સ્ટર છોટા શકીલે રદિયો આપ્યો હતો. ૧૯૯૩માં મુંબઈમાં કરવામાં આવેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટોના કેસમાં દાઉદ ઇબ્રાહિમની જોડે છોટા શકીલ પણ મુખ્ય આરોપી છે.

એક ટીવી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં છોટા શકીલે દાઉદ કરાચીમાં રહેતો હોવાના ભારતના પ્રસાર માધ્યમોમાં પ્રસારિત કરાતા સમાચારોને રદિયો આપ્યો હતો. છોટા શકીલે જણાવ્યું હતું કે 'અમે કરાચીમાં રહેતા નથી. પાકિસ્તાન સહિત વિશ્વની કોઈપણ સરકારને જવાબ આપવા અમે બંધાયેલા નથી. તમે બધા જવાબ આપવા માટે બંધાયેલા છો.'

(11:11 am IST)