Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આરએમસીના ૧૦ કર્મચારીઓ નિવૃતઃ ભાવભીની વિદાઇ

કોઇપણ પ્રશ્ન માટે તમારા માટે કોર્પો.ના દરવાજા હંમેશા ખુલ્લાઃ કમીશ્નર

રાજકોટ, તા. ર : રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર  અમિત અરોરાએ તા. ૩૦ના રોજ મહાનગર પાલિકાના ૧૦ કમર્ચારીઓ નિવળત થતા મોમેન્‍ટો આપી સન્‍માન કરી વિદાયમાન આપ્‍યું હતું.

આ પ્રસંગે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવળત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.

માર્ચ-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવળત્ત થયેલ સ્‍ટાફ એડી. સિટી એન્‍જી.  એમ. આર. કામલીયા, ઇલેક્‍શન શાખાના સિની. ક્‍લાર્ક  ચૌહાણ જયવર્ધન માધવભાઈ,  ટેક્‍સ બ્રાન્‍ચના સિની. ક્‍લાર્ક  ખાભોલીયા નીતિનકુમાર શિવશંકર, અર્બન મેલેરીયાના ફીલ્‍ડ વર્કર  માંગર હાજી ઈશાભાઈ, માર્કેટ બ્રાન્‍ચના ડ્રાઈવર  ગૌસ્‍વામી હિતેન્‍દ્રગીરી લાભુગીરી, આવાસના પટ્ટાવાળા  રાઠોડ રમેશ રૂપાભાઈ, એસ્‍ટેટ બ્રાન્‍ચના પટ્ટાવાળા  સિંધવ રમેશ નારણભાઈ, હેલ્‍થ બ્રાન્‍ચના પટ્ટાવાળા  રાદડિયા ભૂપતભાઈ બધાભાઇ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર  ઝાલા મંજુલાબેન રૂડાભાઈ અને  સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર  પરમાર હકુભાઈ વસંતભાઈ નિવળત થયા છે. નિવળત્તિ વિદાય સન્‍માન સમારોહમાં મ્‍યુનિ. કમિશનર  અમિત અરોરાએ સ્‍વસ્‍થ નિવળત જીવનની શુભેચ્‍છા પાઠવવામાં આવી.

નિવળત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સહીત નાયબ મ્‍યુનિ. કમિશનર,  ચેતન નંદાણી,  એ. આર. સિંઘ તેમજ અધિકારીઓ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(૯.ર૩)

 

(4:20 pm IST)