Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સીંગતેલમાં વધુ ૧૦રૂા.નો ઉછાળો

તહેવારો પુર્વ જ ખાદ્યતેલોના ભાવો વધવા લાગ્‍યા

રાજકોટ, તા., ૧૮:  સાતમ-આઠમના તહેવારો પુર્વે જ ખાદ્યતેલોના ભાવો ફરી વધવા લાગ્‍યા છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં આજે નવા સપ્તાહના પ્રારંભે સાથે જ સીંગતેલમાં ૧૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા) ના ભાવ ૧૬૦૫ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૬૧પ રૂા. થયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ર૭પ૦ થી ર૮૦૦ રૂા.  હતા તે વધીને ર૭૬૦ થી ર૮૧૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.  કેન્‍દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવો ઘટાડવા જાહેર કર્યુ છે. પરંતુ સટોડીયાઓ તહેવારો પુર્વ જ ખાદ્યતેલોમાં ભાવ વધારાનો ખેલ નાખી દિધો હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. પામતેલ સહીતના સાઇડ તેલોના ભાવો  ઘટયા છતા સીંગતેલના ભાવો કેમ ઘટતા નથી? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહયો છે. 

(3:43 pm IST)