Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

કાલે વાંકાનેરમાં કેસર કલમી આંબા અને કાલીપતિ કલમી ચીકુ રૂા.૧૦૦માં વિતરણ

અળસીયાનું ખાતર, વિવિધ જાતના શાકભાજીના બિયારણ, રોપા સહિતની વસ્‍તુઓનું એકદમ રાહતદરે વિતરણ

રાજકોટઃ નવરંગ નેચર ક્‍લબ દ્વારા વાંકાનેર ખાતે અડધી કિંમતે કેસર કલમી આંબા (૧૦૦ રૂપિયા), કાલીપતિ કલમી ચીકુ (૧૦૦ રૂપિયા)નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અળસિયાનું ખાતર અને કોકો પીટનું ખાતર, પ્‍યોર મધ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને મિક્‍સ કાશ્‍મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી વગેરેનું રોપાના ૩૦ રૂ લેખે રાહત દરે વિતરણ, કદમ, ફણસ, ફાલસા, લકી બાંબુ, ઇંગ્‍લિશ ગુલાબના રોપ નું વિતરણ વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ  કરવામાં આવી રહ્યું છે.

પ્રજ્ઞેશભાઈ પટેલ (જસદણ સિરામિક, વાંકાનેર)ના આર્થિક સહયોગ થી કેસર કલમી આંબા અને કાલીપતિ કલમી ચીકુના રોપાનું રાહત દરે વિતરણ થશે.

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન અને માસ્‍ક પહેરવું ફરજીયાત રહેશે.

સ્‍થળઃ ગાયત્રી શક્‍તિપીઠ, મહાકાળી ટેકરી, વાંકાનેર, તા.૨૦ (બુધવાર)

સમયઃ સવારે ૮:૩૦થી બોપોરે ૧  વસ્‍તુઓ લેવા આવો ત્‍યારે કપડાંની થેલી સાથે લઈ આવવા વિનંતી કરાઈ છે.

વધુ માહિતી માટે વી.ડી.બાલા, -મુખ, નવરંગ નેચર ક્‍લબ - રાજકોટ, મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮

(3:29 pm IST)