Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રવિવારે રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્‍સવ

એકતા મિત્ર મંડળનું આયોજનઃ ૧૧૦૦ ગોરણી મહાપ્રસાદનો લાભ લેશે

 

રાજકોટઃ એકમિત્ર મંડળ દ્વારા આગામી રવિવારે તા. ૪-૬ ના રોજ ભવ્‍ય રાંદલમાના ૧૦૮ લોટા  નું આયોજન ‘‘ વિષ્‍ણુ વિહાર સોસાયટી શેરી નં. ૯, રૂડા ૨ ની બાજુ માં કાલાવડ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે

મહા આરતી રવિવારે સવારે ૯ કલાકે, પૂજા સ્‍થાપના સવારે ૮:૩૦ કલાકે, ગોરણી પ્રસાદ સવારે ૧૦ થી ૧ અને સાંજે ૬:૩૦ કલાકે ઘોડો ખુંદવાનો સમય રહેશે. આ પ્રસંગે ૧૧૦૦ ગોરણી સહિત મોટી સંખ્‍યામાં ભાવિકો  મહાપ્રસાદનો લાભ લેશે

કાર્યક્રમને સફળ બનાવવા એકતા મિત્ર મંડળ પ્રમુખ હરીભાઇ રાઠોડ, એકતા મિત્ર  મંડળના ટ્રસ્‍ટી ઇંદુભા રાઓલ (એડવોકેટ), ગોપાલભાઇ અનડકટ (રઘુવંશી અગ્રણી) ,ભરતસિંહ જાડેજા (સેનેટ સભ્‍ય યુનીવરસિટી, દીપકભાઇ લેહરું (્‌બ્રહ્મ સમાજ અગ્રણી ), જીિગ્નેશભાઇ ઉપાધ્‍યાય તેમજ મંડળ ના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રમુખ હરીભાઇ રાઠોડ-૯૯૨૪૬૦૧૮૭૦, ટ્રસ્‍ટી ઇંદુભા રાઓલ (એડવોકેટ)- ૯૮૨૫૦૮૬૨૭૭,  ભરતસિંહ જાડેજા (સેનેટ સભ્‍ય) દિપકભાઇ લહેરૂ રાજુભાઇ આમરણીયા લાલભાઇ હુંબલ નિમેષ ભંડેરી લીનાબેન સોલંકી , પદમાબા ચૌહાણ, મિરાબેન પરમાર, રીંકલબેન , નયનાબેન નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:16 pm IST)