Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધોરાજીમાં ચાતુર્માસ નિમિતે ઓનલાઇન સત્સંગ સાથે સંતોની પધરામણી

ધોરાજી તા.૭ :  ધોરાજીૅં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા શાહીબાગ અમદાવાદ દ્વારા હાલમાં કોરોના મહામારી ના સમયમાં ચાતુર્માસ નિમિત્ત્।ે સંત પારાયણ તેમજ સંતોની પધરામણીઙ્ગ સમગ્ર દેશ અને વિશ્વમાં કાર્યક્રમો થતા હોય છે પરંતુ આ વર્ષે આ સંપૂર્ણ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ હરિભકતોમાં સત્સંગ જળવાઈ રહે અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય તે હેતુથી બીએપીએસ સંસ્થા દ્વારા ઓનલાઈન ચાતુર્માસ નિમિત્ત્।ે સંતોની પધરામણી સાથે દ્યર સભા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સંત શ્રી કલ્યાણમૂર્તિ સ્વામી દ્વારા ધોરાજીના સત્સંગી કિશોરભાઈ રાઠોડ ને ત્યાં ઓનલાઇન પધરામણી કરી હતી.

 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ દ્વારા ઓનલાઇન સંતોની પધરામણી અને દ્યર સભાઙ્ગ અને સત્સંગ જે જુનાગઢ મંદિર દ્વારા ધોરાજી ઉપલેટા પોરબંદર અને જુનાગઢ જિલ્લો વિગેરે વિસ્તારના ૫૦૦ જેટલા હરિભકતો ને ત્યા ઓનલાઇન સંતોની પધરામણી અને સંત સભા તથા સત્સંગનો કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી દરેક હરિભકતો ના દ્યર સુધી સંતોની પધરામણી ઓનલાઈન થઈ ચૂકી છે અને ધર સભા ના માધ્યમથી પરિવારમાં ધર્મ લાભ જોવા મળી રહ્યો છે

આ પ્રસંગે પૂજય શ્રી કલ્યાણમૂર્તિ સ્વામીએ ધોરાજી ખાતે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડઙ્ગ નિતીન પ્રવિણભાઇ રાઠોડ તથા ડો હેમાંગ રાઠોડ વત્સલ રાઠોડ તથા રાઠોડ પરિવાર ના તમામઙ્ગ સભ્યો ને આશીર્વાદ પાઠવ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન સાથે દ્યર સભા યોજી આશીર્વાદ પાઠવ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

આ પ્રસંગે ઓનલાઇન સત્સંગ અને ઓનલાઇન સંતોની પધરામણી કેવી લાગી તે સંતોએ પૂછતા હરિભકત કિશોરભાઈ રાઠોડ ખૂબ જ ખુશી વ્યકત કરતા જણાવેલ કે હાલના સમયમાં કોરોના નો વ્યાપ સમગ્ર દેશ અને વિશ્વમાં વધ્યો છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ જે ઓનલાઇન સત્સંગ દ્વારા સંતોની પધરામણી થઈ રહી છે અને સમગ્ર વિશ્વમાંથી કોરોના ની મહામારી નાબુદ થાય તે બાબતે સંકલ્પ લેવડાવ્યો છે તે બાબતે સંતોને વંદન સાથે આભાર માન્યો હતો અને આ ઓનલાઈન સંત પધરામણ અને ઓનલાઈન સત્સંગ વધુ વ્યાપ વધે તે બાબતે પણ સૂચન કર્યું હતું

ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના હરિભકતો નવનીતભાઈ પનારા તેમજ અમૃતલાલ કસેટીયા વિગેરે ઓનલાઈન સિસ્ટમ બાબતે જહેમત ઉઠાવી હતી.

(11:49 am IST)