Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ધોરાજીના પાટણવાવમાં વૃધ્‍ધ જમનભાઇ ઠુંમરને ઝેરી જનાવર કરડતા મોત

વૃધ્‍ધ વાડીએથી ઘરે જતા'તા : રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૯ : ધોરાજીના પાટણવાવમાં વાડીએથી ઘરે જઇ રહેલા વૃધ્‍ધને ઝેરી જનાવર કરડતા તેનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ પાટણવાવ ગામમાં રહેતા જમનભાઇ કચરાભાઇ ઠુંમર (ઉ.૭૨) ગઇકાલે ગામ પાસે આવેલી પોતાની વાડીએથી ચાલીને ઘરે જતા હતા ત્‍યારે રસ્‍તામાં કોઇ ઝેરી જનાવર કરડતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.વી.સોમૈયા તથા રાઇટર મહેશભાઇ કછોટે કાર્યવાહી કરી હતી.

(11:53 am IST)