Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પોરબંદર : પુલીયાનું નબળુ કામ

 પોરબંદર : રાણાવાવ તાલુકાના દોલતગઢ વાડી વિસ્‍તારમાં ખેડૂતો અને બાળકો અને માલધારીઓ ર૦ દિવસથી ગામમાં આવવા માટે પરેશાન થઇ રહ્યા છે. ચાર વર્ષ પહેલા એક પુલિયુ બનાવવવામાં આવેલુ હતું અને છેલ્લા ત્રણ વર્ષથી તે પુલીયુ ભંગાર હાલતમાં છે અને તે પુલીયાની અંદર લોખંડના સળિયા પણ બહાર આવેલ છે. આ પુલિયાનું સમારકામ નહીં કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને તે કચેરીને ધરણા કરી તાળાબંધી કરવાની ચીમકી દોલતગઢના આગેવાનો ભાવેશભાઇ ડાકી ભાવેશભાઇ ડાકી, અર્જન મોરી, વિરમ કરસન સગર, દાનાભાઇ ડાકી, મનસુખ ચુડાસમા, રાજા ભીમા ડાકી, વિરમ રાણા માલમ તેમજ કોંગ્રેસ આગેવાન રાજવીર ભાઇ મોઢવાડિયા આદિત્‍યાણાના કોંગ્રેસ આગેવાનો વર્ષાબેન ખૂટી આરતીબેન મોઢવાડિયા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ આપી છે. નબળા પુલીયાનું નીરીક્ષણ કર્યુ તે તસ્‍વીર.

(1:15 pm IST)