Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ભાવનગરના મહુવાના કાજલબેનના ખોળે એક -બે નહિ પણ ચાર સંતાનો અવતર્યા

૩ પુત્ર રત્ન અને એક પુત્રીનો જન્મ -બાળકો માતા તમામ સ્વસ્થ

ભાવનગર,તા. ૨૮: ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતી કાજલબેન અરવિંદભાઇ વાજા (ઉવ.૨૬) નામની પરણિતાન ેએક સાથે ત્રણ દીકરા અને એક દીકરી એમ ચાર સંતાનોની પ્રસુતી થવા પામી છે. કુદરતની કમાલ કે ચારેય સંતાનો અને માતા સ્વસ્થ છે. ડો.મેઘાબેન એ સિઝેરિયન કરી સફળ પ્રસુતી કરાવી હતી.

 આ ચારેય સંતાનોને કાજલબહેને સીઝેરિયન દ્વારા જન્મ આપવા છતા કોઇ તકલીફ માતા કે તેના બાળકોને પડી નથી. જેથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:15 am IST)