Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કુવાડવાના ખીજડીયામાં વાડીના રૂમમાં વિજકરંટ લાગતાં મુકેશભાઇ મિંયાત્રાનું મોત

રાજકોટ તા. ૨૮: કુવાડવાના ખીજડીયા ગામે વાડીએ કામ કરી રહેલા યુવાનનું વિજકરંટ લાગવાથી મોત નિપજ્યું હતું.

ખીજડીયા રહેતાં મુકેશભાઇ રાયધનભાઇ મિયાત્રા (ઉ.વ.૪૩)  સાંજે છએક વાગ્યે પોતાની વાડીએ હતાં ત્યારે રૂમમાં ઇલેકટ્રીક કામ કરતી વખતે વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.   હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એન.આર. વાણીયા અને જયદિપભાઇ લાઠીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં દિનેશભાઇ ચારોલાનું મોત

 નાના મવા રોડ ગોવિંદ રત્ન બંગલા પાસે આરએમસી કવાર્ટરમાં રહેતાં દિનેશભાઇ ગાંડુભાઇ ચારોલા (ઉ.વ.૪૦) નામના કોળી યુવાન ઘરે બિમાર હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક કારખાનામાં નોકરી કરતાં હતાં. પણ હાલ બિમાર હોઇ કામે જઇ શકતા નહોતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવામાં શોક છવાઇ ગયો હતો.

(1:01 pm IST)