Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતાં ધ્રાંગધ્રાના રાજપરના અશોકે ઝેર પી આત્મહત્યા કરી

કોળી યુવાને છ દિવસની સારવાર બાદ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૮: ધ્રાંગધ્રાના રાજપર ગામે રામજી મંદિર પાસે રહેતો અશોક જેસીંગભાઇ નાગરેચા (ઉ.વ.૨૨) નામનો કોળી યુવાન ૨૦મીએ ગામની સીમમાં ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું રાત્રીના મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર અશોક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને છુટક મજૂરી કરતો હતો. તેના કુટુંબીજનોએ કહ્યું હતું કે અશોકને એક યુવતિ સાથે પ્રેમ હતો. પણ તેમાં નિષ્ફળતાં મળતાં નિરાશ થઇ આ પગલુ ભરી લીધું હતું. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(1:02 pm IST)