Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જસ્ટીસ લીબ્રહાનનો ધડાકો : ષડયંત્ર હેઠળ બાબરી તોડવામાં આવી : મારી પાસે રાખ્યા હતા પુરાવા : ઉમા ભારતીએ ખુદ સ્વીકાર્યુ હતું

નવી દિલ્હી : બાબરી મસ્જિદકાંડમાં ગઇકાલે ફેંસલો આવ્યો આ કેસની તપાસ કરનાર લીબ્રહાન પંચના અધ્યક્ષ જસ્ટીસ લીબ્રહાનનું કહેવું છે કે, બાબરી મસ્જિદને તોડવી એક ષડયંત્ર હતું મને હજુ ખાતરી છે. તેમણે કહ્યું હતું કે મારી સામે આ મામલામાં જે પણ પુરાવા આવ્યા હતા તે સ્પષ્ટ કરતા હતા કે એક કાવત્રા હેઠળ મસ્જિદ તોડવામાં આવી હતી. મને યાદ છે ત્યાં સુધી ઉમા ભારતીએ આ ઘટના માટે જવાબદારી લીધી હતી. કોઇ અદ્રશ્ય તાકાતે પણ મસ્જિદ તોડી નથી આ કામ માણસોએ જ કર્યું છે

(9:37 am IST)