News of Thursday, 1st October 2020
અયોધ્યા: અયોધ્યામાં લક્ષ્ણ કિલા એક એવું મંદિર છે, જ્યાં ખોટા વાયદા કરવા પર લાંબા સમય એ અસત્ય ટકી રહેતુ નથી. માન્યતા છે કે, આ મંદિરમાં એવી દૈવી શક્તિઓ છે, જે કોઈને કોઈ રૂપમાં ખોટું બોલનારાને તકલીફ પેદા કરે છે.
લક્ષ્મણ કિલાની માન્યતા
ભગવાન શ્રીરામ નગરી અયોધ્યામાં સરયુ તટ પર આવેલું છે લક્ષ્મણ કિલા મંદિર. શ્રીરામના ભાઈ અને તેમના સુખદુખમાં સતત પડખે રહેલા તેમના ભાઈ છે લક્ષ્મણ. માન્યતા છે કે, લક્ષ્મણ કિલામાં દૈવીય ચમત્કાર જોવા મળે છે. અહીં ભગવાન શ્રીરામના ભાઈ લક્ષ્મણના મંદિરમાં ભગવાન શ્રીરામની સાથે સાથે લક્ષ્મણ અને માતા સીતા પણ બિરાજમાન છે. કહેવાય છે કે, પ્રિય અનુજ લખનલાલના મંદિરમાં કોઈએ ખોટી કસમ ખાઈ શક્તા નથી. જો કોઈ વ્યક્તિ કોઈ વિવાદથી દૂર ભાગવા ખોટી કસમ ખાય છે તો તેને ખરાબ પરિણામ ભોગવવું પડે છે.
લક્ષ્મણને સરયુમાં દેહત્યાગ કરવો પડ્યો હતો
લક્ષ્મણ કિલા મંદિર વિશે લખાયું છે કે, ભગવાન શ્રીરામ લંકા વિજય ઉપરાંત 10000 વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ પોતાની લીલાને સમાપ્ત કરીને પરત જવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે એક દિવસે કાળ સાથે પોતાના મહેલમાં વાત કરી રહ્યા હતા. શરત એ હતી કે, કાલ અને ભગવાન રામની વચ્ચે વાર્તા દરમિયાન કોઈ પણ વ્યક્તિ અયોધ્યામાં એ રૂમની અંદર નહિ આવે, જો આવશે તો દરવાજા પર જ તેને મોતની સજા આપવામાં આવશે.
ભગવાન શ્રીરામે લખનલાલને દરવાજા પર ઉભા કરી દીધો અને કહ્યું કે, અંદર કોઈને આવવા ન દેવા. પરંતુ જ્યારે દુર્વાસા ઋષિ ભગવાન રામને મળવા આવ્યા તો લક્ષ્મણે તેને રોકી દીધા હતા. ત્યારે નારાજ થઈને દુર્વાસા ઋષિએ અયોધ્યા નગરીને શ્રાપ આપ્યો. આ શ્રાપથી બચાવવા માટે લક્ષ્મણે જ્યારે એ રૂમમાં પ્રવેશ કર્યો તો કાળ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. શ્રીરામના વચનનું પાલન કરીને લક્ષ્મણે ભગવાન રામના જતા પહેલા જ સરયુમાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. લક્ષ્મણ કિલા એ જ સ્થાન છે, જ્યાં સહસ્ત્રધારા સરયુજીમાં વહે છે અને અહીં લક્ષ્મણજીએ પોતાના શરીરનો ત્યાગ કરીને શેષ અવતાર લીધો હતો.
વિવાદથી મુક્ત થવા આવે છે લોકો
આ સ્થાન સિદ્ધ માનવામાં આવે છે. અહીં લોકો પોતાના વિવાદથી મુક્તિ મેળવવા આવે છે. માન્યતા છે કે, અહી સાચી કસમ ખાવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ વિવાદમાં ખોટી કસમ ખાય છે, તો તે અસત્ય લાંબો સમય ટકી શક્તુ નથી અને સત્ય હકીકત સામે આવી જાય છે. સાથે જ તેને દંડ પણ મળે છે. તેથી લક્ષ્મણ કિલ્લામાં કોઈ ખોટુ બોલી શક્તુ નથી.
ભગવાન રામને બતાવાય છે અરીસો
લક્ષ્મણ કિલામાં સ્વામી યુગલાનંદ શરણ મહારાજને અંગ્રેજોએ શરણ આપી હતી. જેના પર રીવાના દીવાને ભવ્ય મંદિર બનાવ્યું હતું. એક ખાસ વાત એ પણ છે કે અહી ભગવાન રામના બાળ સ્વરૂપ વિરાજમાન છે. અહીં ભગવાન રામના શ્રૃંગાર બાદ તેઓને અરીસામાં બતાવવાનો રિવાજ છે. માન્યતા છે કે, જેમ કોઈ પુરુષ શ્રૃંગાર કરે છે, તો તે અરીસો જોઈને ખુશ થાય છે. તે જ રીતે ભગવાન રામને શ્રૃંગાર કરાય છે.