Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગણી સાથે કોર્પોરેટર આહિર નગર પ્રવાસે નિકળ્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગણી સાથે વિપક્ષી કોર્પોરેટર દેવશી આહીર દ્વારા આજથી ચાલીને ૭ દિવસના નગર પ્રવાસે નીકળ્યા છે. લાલબંગલાથી સવારે કોર્પોરેટર દેવશી આહીર અને તેના સાથી કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના કાર્યકરો શહેરના માર્ગો પર પદયાત્રા કરી નીકળ્યા હતા. રસ્તામાં લોકો સ્મશાનની જરૂરીયાત અંગેની પત્રિકા આપી લોકોને પણ આ લડતથી વાકેફ કરવા પ્રયાસ પણ કરાઇ રહયો છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:43 pm IST)