Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન થતા સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે :રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો

ગાંધીનગર :::ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે. 

ભારત સરકારની આ શોક જાહેર કરવાની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે. 

તદઅનુસાર, રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમીતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે. 

એટલું જ નહિ, આ દિવસો દરમ્યાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં.  

(2:59 pm IST)