Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વડોદરા નજીક વારસિયા તળાવમા ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત

વડોદરા: શહેરના વારસિયા વિસ્તારના તળાવમાં આજે પાંચમા દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા કોંગ્રેસના ચાર કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ અંગની વિગત એવી છે કે એનએસયુઆઇના શહેર મંત્રી પવન ગુપ્તાએ આજે સોશિયલ મીડિયામાં એવો મેસેજ ફરતો કર્યો હતો કે જાહેરનામાનો ભંગ કરી વારસિયા વિસ્તારના તળાવમાં આજે ગણેશ વિસર્જન કરીશું. આ મેસેજની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તળાવ કિનારે બંદોબસ્ત  ગોઠવી દેવાયો હતો.

આજે સાંજે છ વાગ્યાની આસપાસ કેટલાક યુવાનો ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા માટે તળાવ કિનારે પહોંચ્યા હતાં. પોલીસ તેઓને પકડવા માટે દોડી પરંતુ યુવાનોએ તળાવમાં ગણેશની પ્રતિમાનું વિસર્જન કરી દીધું હતું. બાદમાં પોલીસે  પવન ગુપ્તા, નિલેશ વસઇકર, ઉમંગ સોલંકી અને નિખિલ  સોલંકીની અટકાયત કરી હતી.

(6:17 pm IST)