Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આજથી ધરખમ ફેરફારો અમલી : LPGના ભાવમાં ફેરફાર : હવાઈ મુસાફરી મોંધી : મોરેટોરિયમની સમાપ્તી

સામાન્ય માણસના ગજવા ઉપર પડશે સીધી અસર : GSTભરવામાં વિલંબ થશે તો પેનલ્ટી ભરવી પડશે : કિસાન ક્રેડિટ કાર્ડના નિયમો પણ બદલાયા

નવી દિલ્હી,તા.૧: આજથી દેશમાં અનેક મોટા પરિવર્તન થયા છે આ પરિવર્તનની સીધી અસર જીવન પર પડશે. આ નવા નિયમોથી એક તરફ જયાં રાહત મળશે, તો બીજી તરફ કેટલીક બાબતોનું ધ્યાન નહી રાખવા પર આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.

જેમાં અનલોક-૪ની ગાઈડલાઈન, લોન EMI, ગેસ સિલિન્ડરની કિંમત, GST ચૂકવણી, હવાઈ મુસાફરી, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે સાથે સંકળાયેલા નિયમો સામેલ છે. તો ચાલો અમે તેમને આવા જ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો વિશે વિગતવાર જણાવીએ. દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. ૧ ઓગસ્ટે LPGની કિંમતોમાં માત્ર કોલકતામાં જ ફેરફાર થયો હતો. જયારે સબસિડી વિનાના રાંધણ ગેસની કિંમત વધીને ૬૨૧ રૂપિયા કરવામાં આવી હતી. જયારે દિલ્હીમાં ૧૪ KG / LPG સિલિન્ડરની કિંમ ૫૯૪ રૂપિયા, મુંબઈમાં ૫૯૪ રૂપિયા અને ચેન્નઈમાં ૬૧૦.૫૦ રૂપિયા પર સ્થિત રહી હતી.

RBI દ્વારા જાહેર લોન મોરેટોરિયમ એટલે કે EMI પર રોકની મુદ્દત ૩૧-ઓગસ્ટે સમાપ્ત થવા જઈ રહી છે. લોકડાઉન દરમિયાન લોનધારકોને પૈસાની કમીથી રાહત આપવા માટે RBI તરફથી લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી.આ સુવિધા પ્રથમ ૩ મહિના માટે જ હતી. જો કે બાદમાં તેને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી. એટલે કે હવે ૬ મહિના સુધી મોરેટોરિયમની રાહત ૩૧ ઓગસ્ટે સમાપ્ત થવા જઈ રહી છે.

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેકસની ચૂકવણીમાં વિલંબ કરવાની સ્થિતિમાં આજથી ટેકસ પર વ્યાજ લાગૂ થશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગોએ GST ચૂકવણીમાં વિલંબ પર લગભગ ૪૬ હજાર કરોડાના બાકી વ્યાજની વસૂલીના આદેશ પર ચિંતા વ્યકત કરી હતી. વ્યાજ કુલ દેવા પર લગાવવામાં આવ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય ૧ સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરો પાસેથી વધારાન ASF વસૂલવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવાઈ મુસાફરી વધારે મોંદ્યી થઈ જશે. આગામી મહિનાથી ડોમેસ્ટિક ફ્લાઈટોના ASF તરીકે ૧૫૦ રૂપિયાની જગ્યાએ ૧૬૦ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરોને આજથી ૪.૮૫ ડોલરની જગ્યાએ ૫.૨ ડોલર ASF તરીકે ચૂકવવા પડશે.એરલાઈન કંપનીઓ ટિકિટ બુકિંગના સમયે ખ્લ્જ્ વસૂલ કરીને સરકારમાં જમા કરાવે છે. આ રકમનો ઉપયોગ સમગ્ર દેશમાં એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં કરવામાં આવે છે.

દેશમાં ૮ કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ  ધારકો માટે આ એક મોટા સમાચાર છે. કિસાન ક્રેડિક કાર્ડ ધારકોને બેંકથી લેવામાં આવેલી લોન ૩૧ ઓગસ્ટ સુધી પરત કરવાની છે. જો KCC ધારકોએ ૩૧ ઓગસ્ટ સુધી લોન નહીં ચૂકવે, તો તેમને ૪ની જગ્યાએ ૭ ટકા વ્યાજ ચૂકવવું પડશે.

ખેતી માટે વ્યાજદર આમ તો ૯ ટકા જ છે, પરંતુ સરકાર તેમાં ૨ ટકાની સબસિડી આપે છે. આ પ્રકારે તે ૭ ટકા થાય છે. સમય પર પૈસા પરત કરવા પર ૩ ટકાની વધારાની છૂટ મળી શકે છે. આ પ્રકારે ખેડૂતો માટે વ્યાજદર ૪ ટકા રહી જાય છે.

દેશમાં ૧ સપ્ટેમ્બરથી અનલોક-૪ની શરૂઆત થવા જઈ રહી છે. અનલોક-૪માં શું ખુલશે અને શું નહીં? તે વિશે ગૃહમંત્રાલય તરફથી સત્તાવાર ગાઈડલાઈન જાહેર થવાની બાકી છે. તેના જ આધાર પર રાજય સરકારો પણ પોતાના રાજયમાં દિશા-નિર્દેશ જાહેર કરશે.

જો કે અનલોક-૪માં દિલ્હી મેટ્રોની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં મેટ્રો સેવાઓ માર્ચમાં લોકડાઉન લાગૂ થયા બાદથી જ બંધ છે. જો કે દિલ્હીમાં હજુ સ્કૂલ અને કોલેજ નહીં ખોલવામાં આવે.

(3:17 pm IST)