Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ભાદરવી પૂનમનો ૧૧ કુંડી યજ્ઞ પદયાત્રાના કાર્યક્રમ મોકુફઃ દર્શન સહીતની તમામ પ્રવૃતિઓ બંધ

રાજકોટ,તા.૧: કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ સિદસર ખાતે દર વર્ષે ભાદરવી સુદ પૂનમના રોજ ૧૧ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં જોડાવવા માટે સૌરાષ્ટ્રભર માંથી પદયાત્રીકોનો સંઘ સિદસર દર્શનાર્થે આવે છે. પરંતુ હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે ફેલાયેલ મહામારીને ધ્યાનમાં રાખી લોકોના સ્વાસ્થ્યનેહાની ન પહોચેં તે હેતુથી જનહીતમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ભાદરવા સુદ પૂનમ તા.૨ને બુધવારના રોજ યોજાનાર ૧૧ કુંડી યજ્ઞ તથા પદયાત્રાના કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. તેમજ સિદસર મંદિરમાં દર્શન વ્યવસ્થા સહીતની તમામ પ્રવૃતીઓ બંધ રાખવામાં આવેલ છે. જેની તમામ ભકતજનોએ નોંધ લેવા સિદસરની એક યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)