Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરેન્દ્રનગરમાં જૈન યુવાનનો આઠમા માળના ફલેટથી નીચે કૂદીને આપઘાત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ : સુરેન્દ્રનગર શહેરના સુખી સંપન્ન પરિવારમાં જૈન યુવાને દેવ દર્શન ફ્લેટમાં આઠમાં માળેથી અગમ્ય કારણો કૂદી આત્મહત્યા કરી લેવાય છે ત્યારે જૈન સમાજમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે  પોલીસ દ્યટનાસ્થળ પર પહોંચી અને દ્યટનાસ્થળનું પંચનામું કરી અને તપાસ હાથ ધરી છે વિગતો અનુસાર જીનતાન રોડ ઉપર આવેલા દેવ દર્શન એપાર્ટમેન્ટમાં આઠમા માળે રહેતા પાશ્વ દોશી નામના યુવાને દેવ દર્શન ફ્લેટ માં આઠમાં માળેથી કૂદી અને પોતાને આપદ્યાત કરી લીધો છે ત્યારે આઠમાં માળે તે પોતાની સાથે દ્યાયલ અવસ્થામાં જ નીચે મોત નીપજયું હતું જયારે તેને સારવાર માટે લઇ જવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી અને પોલીસને જાણકારી આપી અને હાલમાં તપાસ શરૂ કરાવી છે જયારે મોત પાછળનું કારણ હાલમાં જાણવા મળી રહ્યું નથી ત્યારે યુવાનની આત્મહત્યા પાછળના કારણો વિશે હાલમાં જુદા-જુદા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે છતાં પણ પોલીસ તપાસ થયા બાદ સાચા કારણો બહાર આવશે.

(11:42 am IST)