Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુરેન્દ્રનગર ભાજપ જિલ્લાના મહામંત્રી મકવાણાને કોરોના

સી.આર.પાટીલના પ્રવાસમાં સાથે એક જ કારમાં સવાર હતા

વઢવાણ તા. ૨૭: ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં છ કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી  જગદીશભાઈ મકવાણાનો રિપોર્ટ પણ ગઈકાલે પોઝિટિવ આવતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

થોડા દિવસ અગાઉજગદીશભાઈને તાવ આવતા તાત્કાલિક પણ કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં ગઈકાલે  ટેસ્ટ પોઝિટિવ આવતા  ભાજપના કાર્યકરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સૌરાષ્ટ્રની સફરે નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુલાકાતે હતા તે સમયે છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે સી.આર.પાટીલ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ મકવાણા તે સમયે સી આર પાટીલ સાથે એક જ કારમાં સવાર હતા.

(2:52 pm IST)