Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

છોટુનગર સામેની ઝૂપડપટ્ટીમાં નળ કનેકશન મામલે મારામારીઃ પાંચને ઇજા

બાલાભાઇ રાફુચા, કાજલબેન અને સામા પક્ષે ગોૈરી, ગોૈતમ અને અજયને ઇજા

રાજકોટ તા. ૨૮: છોટુનગર સામે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં લોકો વચ્ચે નળ કનેકશન મામલે મારામારી થતાં પાંચને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

છોટુનગર-૧ની સામેના ભાગે રહેતાં બાલાભાઇ વિરજીભાઇ રાફુચા (ઉ.વ.૫૦) અને તેના પરિવારના કાજલબેનને પડોશી ગોૈરી, ગોૈતમ, અજય સહિતે પાઇપથી માર મારતાં સિવિલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે ગોૈરી ગોૈતમભાઇ લોલારીયા (ઉ.૨૫), ગોૈતમ માનાભાઇ લોલારીયા (ઉ.૨૬) અને અજય જગમાલભાઇ લોલારીયા (ઉ.૨૬)ને ઇજા થતાં તે પણ સારવાર માટે દાખલ થયા હતાં.

કાજલબેનના કહેવા મુજબ તેને પોતાના રહેણાંકના સ્થળે નળ કનેકશન લેવાનું હોઇ પણ બાજુમાં રહેતાં ગોૈરી સહિતના આ માટે જગ્યા ન આપતાં હોઇ તેને સમજાવતાં માથાકુટ થતાં મારામારી થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરી હતી.

(1:11 pm IST)