Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૨૭ કેસ : ૨૩ દર્દીઓ કોરોના મુકત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૧: મોરબી જીલ્લામાં ગુરુવારે કોરોનાના વધુ ૨૭ કેસો નોંધાયા છે તો વધુ ૨૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લામાં આજે નવા કેસોમાં મોરબીમાં ૧૮ કેસો નોંધાયા છે જેમાં ૦૮ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસો શહેરી વિસ્તારમાં, હળવદમાં ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં અને ટંકારામાં ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૭ કેસ નોંધાયા છે જયારે આજે વધુ ૨૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૨૨૯ થયો છે જેમાં ૨૫૧ એકટીવ કેસ છે જયારે ૯૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:49 am IST)