Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જુનાગઢ જિલ્લાનાં વધુ રર દર્દીનો કોરોના પર વિજય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: જુનાગઢ જિલ્લાનાં વધુ બાવીસ દર્દીએ કોરોના પર વિજય મેળવ્યો છે જોકે નવા ૧૮ કેસ પણ નોંધાયા છે.

ર૪ કલાકમાં જુનાગઢ સીટીમાં નવા સાત કોરોના કેસની એન્ટ્રી થયેલ. જયારે કેશોદ, માળીયા તથા માણાવદરમાં ત્રણ-ત્રણ કેસ, તેમજ જુનાગઢ ગ્રામ્ય અને વિસાવદરમાં વધુ એક નવો કેસ સામે આવેલ.

નવા ૧૮ કોરોના કેસની સામે જુનાગઢ સીટીનાં ૧૦ દર્દી, માળીયાના ત્રણ, વંથલી-પાંચ તથા કેશોદનાં બે દર્દી સ્વસ્થ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ.

આ ઉપરાંત ભેસાણ તેમજ વિસાવદરના પણ એક-એક દર્દીઓ કોરોનાને માત આપી હતી.

દરમ્યાન જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૧૧૪ છે જેમાં ૬૮૭ ઘરોના ર૭૩૦ લોકો છે.

(1:14 pm IST)