Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આણંદ નજીક વઘાસી રોડ પર રાત્રીના સુમારે જમીનના ભાગલા બાબતે બે કૌટુંબિક પરિવાર બાખડ્યા:સામસામે હુમલામાં પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા વઘાસી રોડ ઉપર ગઈકાલે રાત્રીના સુમારે જમીનના લાગભાગ બાબતે બે કૌટુંબિક પરિવારો વચ્ચે ચાલી રહેલા ઝઘડાએ ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ અને બન્ને પક્ષો મારામારી પર ઉતરી આવતાં છને ઈજાઓ થવા પામી હતી. જે પૈકી બેની હાલત ગંભીર હોય તેઓને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે આણંદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને હત્યાના પ્રયાસના ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મંગળપુરા સાત ઓરડી ખાતે રહેતા અને વઘાસી રોડ ઉપર આવેલા રાધે ટેનામેન્ટમાં પ્રોવીઝન સ્ટોર ચલાવતા કિરણભાઈ શંકરભાઈ ચાવડાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેમના કૌટુંબિક સગા વિષ્ણુભાઈ મહેશભાઈ ચાવડા, મહેશભાઈ રાયસીંગભાઈ ચાવડા, અજયભાઈ મહેશભાઈ ચાવડા તેમજ અનિલભાઈ વસાવાએ વડિલોપાર્જીત જમીન બાબતે ચાલી રહેલા ઝઘડાની રીસ રાખીને જન્મદાતા નટુભાઈ અને મીરાબેન સાથે ઝઘડો કર્યો હતો. જેથી કિરણભાઈ તુરંત ત્યાં બાઈક લઈને પહોંચી ગયો હતો. દરમ્યાન ઉશ્કેરાયેલા મહેશભાઈએ પોતાની પાસેનો ધારધાર લોખંડનો સળિયો રાકેશને માથામા મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. કિરણભાઈ અને નટુભાઈને પણ સળિયા અને લાકડીથી માર માર્યો હતો.

(6:02 pm IST)