Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના વાયરસ મહામારીને લઇ વંદે ભારત મિશન અંતર્ગત લગભગ ૧૩ લાખ ભારતીયોને સ્‍વદેશ લાવવામાં આવ્‍યા

વિદેશ મંત્રાલયએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીને ધ્‍યાને લેતાં સરકાર દ્વારા ૭ મેના વંદે ભારત મિશન શરૂ કર્યા પછી અત્‍યાર સુધીમાં લગભગ ૧૩ લાખ ભારતીયોને સ્‍વદેશ લાવવામાં આવ્‍યા છે.

એક સપ્‍ટેમ્‍બરથી વંદે ભારત મિશનનું છઠ્ઠું ચરણ શરૂ થઇ ગયું છે. એમણે કહ્યું  વંદે ભારત મિશનને લઇ લોકોને વિભિન્ન માધ્‍યમો દ્વારા ભારત લાવવામાં આવ્‍યા છે. વંદે ભારત મિશનના છઠ્ઠા ચરણને લઇ ૧૦૦૭ આંતરરાષ્‍ટ્રીય ઉડાન નિર્ધારિત છે.

(11:54 pm IST)