Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોથા દિવસે મેઘરાજાનો વિરામ : માત્ર મોટી પાનેલીમાં ૧ ઇંચ

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારથી મેઘરાજાએ વિરામ લીધો છે જે આજે ચોથા દિવસે પણ યથાવત છે.સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટાના મોટી પાનેલી વિસ્તારમાં મેઘરાજા પીછો નથી છોડતા કાલે બપોર પછી ચાર વાગે વરસાદે એન્ટ્રી કરતા જોતજોતામાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. બજારોમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતાં. સતત વરસાદને પગલે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેને લીધે રોગચાળો ફેલાવાની પૂરી શકયતા હોય તાકીદે આરોગ્ય વિભાગ દવાનો છંટકાવ કરે તેવી પણ લોકમાંગણી ઉઠી છે.

(11:42 am IST)