Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો : ૫૮ પોઝિટિવ કેસો નોંધાયા : જિલ્લામાં નોંધાયેલા ૨,૯૯૭ કેસો પૈકી ૫૯૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૫૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૯૯૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૧૧ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના ખોડવદરા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના ખાંટડી ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાના પાણીયાળા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના માળવાવ ગામ ખાતે ૪, મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના મેઢા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના બાદલપુર ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરી(ગો) ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૩ તેમજ ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૬ કેસ મળી કુલ ૩૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને
આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨,૯૯૭ કેસ પૈકી હાલ ૫૯૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૩૪૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:51 pm IST)