Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોના મહામારીઃ રોમ સળગી રહ્યુ હતુ નીરો બંસી વાગડી રહયો હતો, દેશ કોરોનાની ગર્તામાં જઇ રહ્યો છે મોદીજી મોરને દાણા ખવડાવી રહ્યા છેઃ કોંગ્રેસની સટાસટી

નવી દિલ્લીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને લઇ વિપક્ષ સતત કેન્‍દ્ર સરકાર પર હમલાવાર છે આવામાં કોંગ્રેસએ મોદી સરકાર પર ફરી એક વખત નિશાન સાધતા કહ્યુ કે એક તરફ દેશ કોરોનાની માર સહન કરી રહ્યો છે અને પ્રધાનમંત્રી મોરને દાણા ખવડાવવામાં મશગુલ છે

 કોંગ્રેસના મુખ્‍ય પ્રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકારોએ સંબોધિત કરતા કહ્યુ ગત ૨૪ માર્ચના મોદીએ કહ્યુ હતુ કે મહાભારતનુ યુધ્‍ધ ૧૮ દિવસ ચાલ્‍યુ હતુ કોરોનાથી યુધ્‍ધ જીતવામાં ૨૧ દિવસ લાગશે આજ ૧૬૬ દિવસ થયા છતા પમણ સમગ્ર દેશમાં કોરોનાનુ મહાભારત છે.

(12:00 am IST)