Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

એરપોર્ટ રોડ પર ગંદકીના ગંજ

આ સમસ્યા ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા. ૯ : શહેરના વોર્ડ નં.રમાં એરપોર્ટ રોડ પરના આવેલા વસુંધરા રેેસીડેન્સી, અમરજીતનગર વિસ્તારમાં ગંદકી કચરાના ઢગલાની સમસ્યા ઉકેલવા લતાવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત કરી છે.

એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડન્સીની સામે અમરજીતનગરની ત્રણ શેરીઓમાં અવારનવાર રજુઆત કરવા છતાં કચરા પેટી ડસ્ટબીન મૂકેલ નથી. આથી લોકોને એરપોર્ટ રોડ પર જાહેરમાં મોટા જથ્થામાં દરરોજ કચરો ફેંકવો પડે છે. આ અંગે યોગ્ય ઉકેલ લાવવા લતાવાસીઓએ માંગ કરી છે.

(3:58 pm IST)