Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગારીયાધારના વિરડી ગામે આપ દ્વારા યુવા જોડો કાર્યક્રમ યોજાયો

ગારીયાધાર શહેરમાં રેલી સાથે આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરાયા : આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદરથી શરૂ કરાયેલ'યુવા જોડો' યાત્રા આજે રાજકોટમાં

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર તા.પઃ ગારીયાધાર તાલુકાના વિરડી ગામે આમ આદમી પાર્ટીના ગોપાલભાઇ ઇટાળીયાની  યુવા જોડો કાર્યક્રમ યોજાયો હતો તેમજ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ગારીયાધારના વિરડી ગામે ગોપાલભાઇ ઇટાળીયા દ્વારા સવારે ૧૦ કલાકે યુવા જોડો કાર્યક્રમ અંતર્ગત મિટીંગ યોજાઇ હતી. જેમાં ઇટાળીયા દ્વારા આમ આદમી પાર્ટીમાં યુવાનોને જોડાવાનું આહવાન કરાયુ હતું તેમજ ભાજપાની ભય ભુખ અને ભ્રષ્ટાચાર સામેની લડાઇ લડવાની વાત કરી હતી.

ત્યારબાદ ગારીયાધાર શહેરમાં મેઇન બજાર, ભૈરવનાથચોકથી આંબેડકર પ્રતિમા સુધી ચાલીને રેલી યોજી હતી તેમજ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.

(11:32 am IST)