Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

પી.એમ.કેર્સ ફંડમાંથી જી.જી. હોસ્પિટલને વધુ ૭૫ વેન્ટીલેટર

જામનગર,તા. ૫: જામનગરમાં કાર્યરત સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી શ્રી ગુરૂ ગોવિંદસિંધ હોસ્પીટલ,ઙ્ગ ક્રોવિડ-૧૯ હોસ્પીટલને પી.એમ. કેર્સ ફંડ માંથી વધુ ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંસદસભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યકત કર્યો છે આ પહેલા ગત જુલાઇ માસમાં પણ પી.એમ.કેર્સ ફંડમાંથી ૫૦ વેન્ટીલેટર ફાળવાયા હતા.

જામનગરમાં જી.જી.હોસ્પીટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પીટલમાં જામનગર જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતી ઉભી થાય છે ત્યારે જી.જી.હોસ્પીટલને કોરોના સામેના જંગમાં વધુ સજજ કરવા માટે અને દર્દીઓના હીત માટે પી.એમ.કેર્સ ફંડમાંથી જુલાઇ માસમાં ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા બાદ ફરીથી ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યાઙ્ગ છે આ અત્યંત જરૂરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ વડાપ્રધાન આભાર વ્યકત કર્યો છે અને આશાવ્યકત કરી છે કે જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની ક્રીટીકલ સંજોગોમાંઙ્ગ સદ્યન સારવાર થઇ રહી છે તે હજુ વધુ સારી રીતે સારવાર થઈ શકશે.

(12:49 pm IST)