Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના સવલાસ ગામે ઝેરી વસ્તુ ખાવાથી 8 ગાયોના મોત

જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી : ફરિયાદ નોંધાવવા તજવીજ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના સવલાસ ગામે ઝેરી વસ્તુ ખાવાથી આઠ ગાયોના મોત થતા ચકચાર મચી છે.જીવદયા પ્રેમી લોકોએમાં રોષ ફેલાયો છે 

ખેડુતે પાક પર છંટકાવ કરેલ કીટ નાસક દવા યુકત પાક ગાયો ખાઈ જતા મૌત નિપજ્યા છે. ગૌ વંશને મારનાર સામે કડક કાર્યવાહી પણ થાય છે,પરંતુ કેટલાંક ખેડૂતો પોતાનો પાક કોઈ પશુ ખાઈના જાય તે માટે પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરે છે.

સવલાસના ગોપાલભાઇ એ જણાવ્યું હતું કે, સાવલાસ ગામની સીમમાં કોઈ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઝરી દવા નાંખી હોઈ તે ખાતા ત્રણ દિવસમાં આઠ ગાયોના મોત નીપજ્યા છે, આ બાબતની જાણ પાટડીમાં રહેતા જીવદયા પ્રેમી રમેશભાઈ શાહ ને થતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયાં હતાં,અને ગાયના માલિકે પાટડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

(7:28 pm IST)