Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જુનાગઢ જેલમાં કાચા કામના કેદી મેરાજશા રફાઇએ ટીકડા પી લીધાઃ રાજકોટમાં મોત

ચોરીના ગુનામાં પકડાયો હતોઃ જુનાગઢ પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૮: જુનાગઢના કાચા કામના કેદીએ જુનાગઢની જેલમાં પોતાને આપવામાં આવેલી બિમારીની દવાના વધુ પડતાં ટીકડા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ રહેતાં મેરાજશા ઇસ્માઇલશા રફાઇ (ઉ.વ.૨૫)એ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે જુનાગઢ જીલ્લા જેલમાં કોઇ ટીકડીઓ પી લેતાં ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દીધો હતો.

ચોકીના સ્ટાફે આ અંગે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મેરાજશા ચોરીના ગુનામાં પકાડાયા બાદ જુનાગઢ જેલમાં હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.

(11:45 am IST)