Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજકોટના નિવૃત મામલતદાર દિનેશ રાડીયાના ધર્મપત્નિ હર્ષિલાબેન રાડીયાને કોરોના પોઝિટિવ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૮: રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મામલતદાર દિનેશભાઈ રાડીયા ના ધર્મપત્ની હર્ષિલાબેન દિનેશભાઈ રાડીયા કોરોના પોઝિટિવ આવતા તેમના પરિવારો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ નિવૃત મામલતદાર દિનેશભાઈ રાડીયા એ મક્કમતા દર્શાવી તેમના ધર્મપત્ની હિંમત આપી અને તેમના જ ઘરમાં હોમકોરોન્ટાઇન કરવાનો નિર્ણય કરી સરકારની ગાઈડલાઈન્સ અને એમના નિયમ પ્રમાણે સારવાર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આ બાબતે દિનેશ ભાઈ રાડીયા મોરબીના મામલતદાર ધોરાજી ભેસાણ રાજકોટ વિગેરે મામલતદાર તરીકે ફરજ બજાવી છે અને હાલમાં મોરબી ખાતે નિવૃત થતા તેઓ નિવૃત્તિનો સમય રાજકોટ ગાંધીગ્રામ પોતાના નિવાસસ્થાને વિતાવી રહ્યા છે

આ સમયે કોરોના મહામારી ના સમયમાં નિવૃત મામલતદાર દિનેશભાઈ રાડીયા એ જણાવેલ કે ખૂબ જ કેર અને પાબંધી રાખવા છતાં મારા ધર્મપત્ની કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે અમોએ અમારા ઘરમાં જ રાખવાનો નિર્ણય કરી અને સરકારશ્રીની ગાઈડલાઈન્સ અને નિયમ પ્રમાણે સેવા કરી રહ્યા છીએ પરંતુ આ વખતે મારા ધર્મપત્ની હર્ષિલા રાડીયા નો જન્મદિવસ તારીખ ૧૫ સપ્ટેમ્બર ના રોજ હોય પરંતુ કોરોના મહામારીમાં જન્મદિવસ ઉજવી ન શકીએ પરંતુ ઘરમાં જ મોબાઈલના મારફતે ઓનલાઇન અને ઉજવણી કરશું અને તાત્કાલિક કોરોનામાંથી બહાર નીકળે તે બાબતે પણ અમો ભગવાન ને પ્રાર્થના કરીશું.

(12:02 pm IST)