Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભીખ માંગવાના વિખવાદમાં કચ્છના આદિપુરમાં વ્યંઢળો દ્વારા હત્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ :  આદિપુરના ચારવાળી વિસ્તારમાં યુવાન ભિક્ષુકની હત્યા કરી લાશ ફેંકી દેવાના મુદ્દે અજાણ્યા વ્યંઢળો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હતભાગી મૃતક ભિક્ષુક ૩૫ વર્ષીય પ્રકાશ વેન્ડરાવ ગૌડ આદિપુર ચારવાળી વિસ્તારમાં ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો. પણ, અહીં વ્યંઢળોએ તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો.

આ ઘટના બાદ મૂઢ મારથી ઘાયલ ભિક્ષુક પ્રકાશને ફેંકીને વ્યંઢળો પલાયન થઈ ગયા હતા. મૃતકના ભાઈને મારામારીની જાણ કરાતાં તેની માતા અને અન્ય લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તે મૃત હોવાનું તબીબે જણાવ્યું હતું.

આ બાબતે મૃતકના ભાઈ લખને અજાણ્યા વ્યંઢળો વિરુદ્ઘ હત્યાની પોલીસ ફરિયાદ લખાવતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)