Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મોરબી જીલ્લામાંથી બે શખ્સોને અમદાવાદ -વડોદરા જેલ ધકેલાયા

એનડીપીએસ અધિનિયમ હેઠળ એસઓજીએ કરી કાર્યવાહી

મોરબી,તા.૯: જુના ગુન્હાઓમાં ઝડપાયેલ ઇસમ વિરુદ્ઘ એનડીપીએસ જોગવાઈ મુજબ અટકાયતી પગલા લેવા ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેમાં જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે એમ આલની ટીમે જીલ્લાના બે ઈસમો વિરુદ્ઘ PIT NDPS અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૩ હેહ્રતાલ વોરંટ ઇસ્યુ કરતા સામાવાળા દિલીપ ઉર્ફે મહારાજ લાભશંકર જોષી રહે જુના દેવળિયા તા. હળવદ અને પપ્પુ ઉર્ફે હરિરામ ભાખરારામ બિશ્નોઈ રહે રાજસ્થાન હાલ ગાળા તા. મોરબી વાળાને અમદાવાદ અને વડોદરા જેલ ધકેલાયા છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પરમાર, રમેશભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ વાદ્યડીયા, સતીશભાઈ ગરચર, ભરતસિંહ ડાભી, પ્રિયંકાબેન પૈજા અને સંદીપભાઈ માવલા સહિતની ટીમ રોકાયેલ હતી.

(11:48 am IST)