Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

માણાવદરના રસાલા ડેમ ઉપર 24 કરોડના ખર્ચે બનશે રિવરફ્રન્ટ

નવનાલા તરીકે ઓળખાતા પુલથી રસાલા ડેમ સુધીનો કાંઠો હેઠળ વિકસાવાશે

માણાવદર :શહેરમાં રાજય સરકાર દ્રારા રીવર ફન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રીવર ફન્ટ નું ટેન્ડર પણ બહાર પડી ગયું છે ટેન્ડરમાં તેની કિંમત રૂ. ૨૪,૩૪,૪૯,૬૯૭ અંદાજવામાં આવી છે માણાવદર ના રાજાશાહી વખતમાં નવનાલા તરીકે ઓળખાતા પુલથી લઈ રસાલા ડેમ સુધીનો કાંઠો આ પ્રોજેક્ટ હેઠળ વિકસાવાશે

 ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા આ રીવર ફન્ટ માણાવદર શહેરમાંથી પસાર થતી ક્ષારવતી નદીના કાંઠે બનાવવામાં આવનાર છે. આ અંગે જવાહરભાઈ ચાવડા એ જણાવેલ છે કે જૂનાગઢ જિલ્લામાં કયાંય પણ રીવર ફન્ટ નથી અને માણાવદરમાં એવું કાંઈ નથી જેના પર લોકો ગર્વ લઇ શકે આથી એક ફરવાનું સ્થળ આપવાનો આ પ્રયાસ છે

(1:54 pm IST)