Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

લીંમડીમાં NEET પરીક્ષામાં ફેલ થવાના ડરથી આપઘાત

વઢવાણ તા. ૨૭ : લીંબડીના ખારાવાસ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષિય યશ બાબુભાઇ પરમાર ગાયત્રી મંદિર પાસેના તળાવમાં કૂદીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પણ પરિવાર સાથે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે કિશોરે આત્મહત્યા કરતા પહેલા તેની માતાને સંબોધિત એક નોંધ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે ગુજકેટમાં જે પરિણામ આવ્યું છે, તે જ પરિણામ NEETમાં પણ આવશે. જેના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે. મામા અને ભાઈ તમે બંને ખુશીથી જીવજો. તે પોતાના સપના પૂરા કરી શકયો નહીં પરંતુ તેનો ભાઈ તેનું સ્વપ્ન પૂર્ણ કરશે.

(9:52 am IST)