Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જુનાગઢનાં નિવૃત એએસઆઇ સોમાલાલ રેવરનું અન્ય બિમારી સાથે કોરોનાથી નિધન

૧પ દિવસની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ : જુનાગઢના નિવૃત એએસઆઇ સોમાલાલ રેવરનું અન્ય બિમારી સાથે કોરોનાથી નિધન થતાંગમગીની વ્યાપી ગઇ છે.

બે વર્ષ અગાઉ નિવૃત થયેલા એએસઆઇ સોમાલાલ રેવરની ૧પ દિવસ અગાઉ તબિયત લથડી હતી અને તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેમનો જુનાગઢમાં ઝાંઝરડા ચોકી સ્થિત કોવીડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓએ ગઇકાલે બ્લડ પ્રેસર તથા ડાયાબીટીસની બિમારી સાથે કોરોનાથી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

જુદા જુદા પોલીસ સ્ટેશનના પ્રસંશનીય ફરજ બજાવી ચુકેલા ૬૧ વર્ષીય નિવૃત એએસઆઇ  સોમાભાઇ મુળજીભાઇ રેવર બે વર્ષ અગાઉ નિવૃત  થયા બાદ પણ જુનાગઢ આર.આર. સેલમાં માનદ સેવા આપતા હતા. નિવૃત પોલીસ અધિકારી એસ.એમ.રેવરના અવસાનથી તેમના પરિવારજનો શોકમગ્ન  થઇ ગયા છે. જુનાગઢ ડીઆઇજી કચેરીના સ્ટાફે મૌન પાળી સ્વ. રેવરને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(1:00 pm IST)